Friday 27 May, 2011

જીવન જીવવાની જડીબુટ્ટી ,

* દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવા જાઓ અને હાચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ!
* દરરોજ ઓછામાં ઓછી ૧૦-૩૦  મિનિટ માટે એકાંતમાં બેસો.
* દરરોજ ૭ કલાક ઊંધો.
* જોશઉત્સાહ અને કરૂણા આ ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં.
* નવી રમતો શિખો/રમો..
* ગયા વર્ષે કરતાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચો .
* ધ્યાનયોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો. 
* ૭૦થી વધારે ઉંમરના અને ૭થી ઓછી ઉંમરના લોકો સાથે સમય ગાળો. દરરોજ શક્ય ન હોય તો અઠવાડિએ.
* જાગતાં સપનાં જુઓ.
* પ્લાન્ટ (ફેકટરી )માં બનતી વસ્તુઓ કરતાંપ્લાન્ટ(છોડ)માં ઊગેલી વસ્તુઓને ખોરાકમાં મહત્વનું સ્થાન આપો.
* પુષ્કળ પાણી પીઓ .
* દરરોજ ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવો.
* ભૂતકાળ ભૂલી જાઓ. ખાસ કરીને પતિ/પત્નીનીભૂલો. વર્તમાનકાળનો આનંદ લો.
* રાજાની જેમ સવારનો નાસ્તો કરોરાજકુમારની જેમ બપોરનું ભોજન લો અને ભિખારી જેટલું રાત્રે જમો!
* દરેક દલીલની સામે જીતી શકવાના નથી
,મતભેદ સ્વિકારી લો.
* સરખામણી કરવાનું છોડો. ખાસ કરીને પતિ/પત્નીની સરખામણી.
* તમારા સુખનું કારણ ફક્ત  તમે છો.
* દરેકને (
Unconditional) માફી બક્ષો. ક્ષમા વીરસ્ય ભૂષણમ્ .
* બીજા લોકો તમારા માટે શું વિચારશે એવા વિચાર છોડો.
* ભગવાન સૌનું ભલું કરશે.
* ગમે તેટલી સારી કે ખરાબ પરિસ્થિતિ હશે, બદલાશે જરૂર.
* માંદા પડશો ત્યારે તમારો બૉસ નહીં પણ તમારા મિત્રો તમારી સંભાળ રાખશેમાટે મિત્રોના સંપર્કમાં રહો.
* નકામીનઠારી અને જેમાંથી આનંદ ન મળે તેવી વસ્તુઓથી દૂર રહો.
* ઈર્ષા સમયનો બગાડ છે. તમને જોઈતું બધું તમારી પાસે છે.
* ઉત્તમ હજી આવવાનું બાકી છે.
* ગમે તેવો ખરાબ મૂડ હોયઊઠોતૈયાર થાઓ અને બહાર આંટો મારી આવો.
* દરરોજ સવારે ઊઠીને ભગવાનનો આભાર માનો.
આ જડીબુટ્ટીઓનું સેવન કરો અને સગા વ્હાલાઓને પણ જણાવો.

No comments:

Post a Comment